pina_AIA2RFAWACV3EAAAGAAFWDL7MB32NGQBAAAAAITRPPOY7UUAH2JDAY7B3SOAJVIBQYCPH6L2TONTSUO3YF3DHBLIZTASCHQA https://www.profitablecpmrate.com/gtfhp9z6u?key=af9a967ab51882fa8e8eec44994969ec Adhiyatmik Astro: 06/11/26

Adsence

Thursday, June 11, 2026

મહાન વિરકત સન્નારી બાંકા :

મહાન વિરકત સન્નારી બાંકા :

મહાન વિરકત સન્નારી બાંકા : 

મહાન ભગવત ભક્ત નામદેવજી પર ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીની ખૂબ જ કૃપા હતી તેથી નામદેવજી ભગવાન સાથે સાક્ષાત વાતો કરતા હતા. 

નામદેવજી અવારનવાર કોઇ ભક્તજનને કંઇ સમસ્યા કે મુશ્કેલી હોય તો તેની પ્રભુ પાસે રજૂઆત કરી તેનું દુઃખ દૂર કરવા માટે વિનંતી કરતા. 




એક વાર આવા જ એક ભગવાનના પરમ ભક્ત એવા રાંકા માટે રજૂઆત કરતા નામદેવજીએ કહ્યું, હે નાથ, આપ તો ધારો તે કરી શકવાને સમર્થ છો, વળી તમે લક્ષ્મીના નાથ છો અને તમારા પરમ ભક્ત એવા રાંકાને તો બરાબર ઓળખો છો. 

તમારામાં તેને અપાર શ્રદ્ધા છે. તે સતત તમારૃં સ્મરણ કરતો રહે છે. આવા પરમ ભક્ત રાંકાને નિર્ધન શા માટે રાખ્યો છે? 

+++ +++

તમે તેના પર કૃપા કરી અને તેનું નિર્ધનપણું દૂર કરી દો એવી જ મારી તમારી પાસે પ્રાર્થના છે." ત્યારે પઢરપુરમાં બિરાજી રહેલા વિઠ્ઠલનાથ ભગવાન બોલ્યા, "

નામદેવ, તું જાણતો નથી રાંકા તો પરમ વૈરાગી છે તે જે હાલતમાં છે તે જ હાલતમાં જીવવા માંગે છે. તેનું હું કંઇપણ આપીશ તો તે સ્વીકારશે જ નહીં. 

+++ +++

હવે, જે કાંઇ લેવા જ ન માંગતો હોય તેને હું શું આપી શકું?" પરતું નામદેવજીએ તો ભગવાન પાસે હઠ પકડી કે, "ગમે તે થાય પરંતુ તમે રાંકાને ધનવાન બનાવી દો." 

એટલે ભગવાને આખરે નામદેવજીની વાત રાખી અને કહ્યું, "ભલે તું કહે છે તો હું તને અવશ્ય ઘા આપીશ માટે તું એમ કરજે કાલે એ જયારે જંગલમાં લાકડા કાપવા જાય ત્યારે તું તેની પાછળ પાછળ જજે ને શું થાય છે તે છૂપાઈ અને જોજે."

+++ +++

નામદેવજી ખૂબ જ ખુશ થયા. બીજે દિવસે વહેલી સવારે નામદેવજી તો રાંકાના ઝુંપડા પાસે ઊભા રહી ગયા. થોડી વારે રાંકા અને તેની પત્ની ઝુંપડામાંથી બહાર નિકળ્યા. પાછળ પાછળ નામદેવજી પણ જંગલમાં પહોંચવા ચાલવા લાગ્યા ત્યારે નામદેવજી ઝાડમાં ઝડપથી છૂપાઇ તેની નજીક પહોંચી ગયા. 

+++ +++

રાંકા કુહાડી લઇ એક સુકું ઝાડ કાપવા જાય છે, ત્યાં તો તે ઝાડના મૂળ પાસે તેને એક થેલો દેખાય છે. એટલે નાનો એવો એ થેલો જોઇ તેને કૌતુક લાગ્યું. તેથી તેણે તે ખોલીને જોયું તો તેમાં સોનામહોર ચમકતી હતી. પછી તુરંત જ કંઇક વિચારી અને રાંકા તે સોનામહોર ઉપર ધૂળ નાખવા લાગ્યા. તેમના પત્ની થોડા પાછળ રહી ગયા હતા. 

+++ +++

તે થોડાક નજીક આવ્યા અને રાંકાને ધૂળ નાખતા જોઇ એને પણ નવાઈ લાગી તેથી તેમણે રાંકાને પૂછ્યું, "અરે તમે આ શું કરો છો ? લાકડા કાપવાને બદલે આ ધૂળ નાખવાનું શું કારણ છે? "

" ત્યારે પહેલા તો રાંકાએ તેમની વાતને ટાળવાની કોશીસ કરી પરંતુ વારંવાર પત્નીના આગ્રહને વશ થઈ અને રાંકાએ સાચું કારણ જણાવતા પોતાના ધર્મપત્નીને કહ્યું, "જુઓ, અહીં એક થેલી પડી છે જે છેલ્લો છલ સોનામહોરથી ભરેલી છે. 

+++ +++

આપણે રહ્યાં પ્રભુના ભક્ત જો આપણને ધન મળે તો તેના મદદમાં આપણે પ્રભુની ભક્તિ કરવાનું ભૂલી જ જઇએ. આ ધન જ કેટલાય અનર્થોનું મૂળ છે. 

જેને પ્રભુને પ્રાપ્ત કરવા હોય તેને સાદું જીવન જીવવું જોઇએ. જો ધન આવે તો અટકતક નથી. તેથી તે સોનામહોર આપણા કોઇ કામ પડી જાય અને તારું મન લલચાય તો અનર્થ થઇ જાય. માટે હું તેના પર ધૂળ નાખી રહ્યો છું.

+++ +++

આ વાત સાંભળી અને વાંકાના પત્ની ખડખડાટ હસી પડ્યા અને પછી પોતાના પતિ રાંકાને ઉદેશીને કહ્યું, "વાહ...વાહ...નાથ, 

+++ +++

તમે પણ ગજબ છો અને તમે આ સાવ ખોટી જ મહેનત કરી રહ્યાં છો હું તો સોના અને ધૂળમાં કોઇ ભેદ માનતી નથી અને તમે આ ધૂળ ઉપર ધૂળ નાખવાનો સાવ વ્યર્થ પરિશ્રમ કરી રહ્યાં છો અને છોડી અને લાકડા કાપવાનું શરૂ કરો જેથી આપણું મુખ્ય કાર્ય પાર પડે. 

+++ +++

ધર્મપત્નીના વચનો સાંભળી અને પરમ ભક્ત રાંકાની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. તે બોલી ઉડ્યા, ધન્ય છે તમને, ખરેખર હું ભાગ્યશાળી છું કે મારા કરતા પણ ચડિયાતા વૈરાગ્યી એવા તમે મને પ્રાપ્ત થયા છો. તમારો વૈરાગ્ય તો ખરેખર વિશિષ્ટ છે."

+++ +++

બસ તે દિવસથી તેમનું નામ બાંકા પડી ગયું અને એ "રાંકા-બાંકા" ની જોડીનું નામ આજે પણ પરમ ભક્તોમાં અમર થઈ ગયું છે. ઝાડીમાં છુપાયેલા રામદેવજી તુરંત ત્યાંથી નિકળી અને શ્રી વિઠ્ઠલનાથજી પાસે પહોંચ્યા અને પગે લાગી પ્રભુ પાસે ક્ષમા માંગી અને કહ્યું, 

"તમે ખરા છો, પ્રભુ આ "રાંકા-બાંકા" તો તમારી ભક્તિને જ સાચું ધન માની જીવી રહ્યાં છે તેને સોના - ચાંદીથી કોઇ મતલબ નથી." 

ત્યારે ભગવાન શ્રી વિઠ્ઠલનાથજી પણ મંદ મંદ સ્મિત કરી રહ્યાં હતા.

+++ +++

ઃઃ ભજન ઃઃ


ંઉંચી મેડી તે મારા સંતની રે,


મેં તો હાલીનો જાણી હો રાજ... ઉંચી મેડી.


અમને તે તેડા સિહ મોમલ્યા (૨)


હે સી છે કોલ્યો રાજ (૨)


મોંઘા તે મુલની મારી ચુંદડી રે,


જો તો મહાલીનો જાણી હો રાજ... ઉંચી મેડી.


અડધા પહેર્યા ને અડધા પાથર્યા રે,


ઉપર ઓઢાળ્યા ચીર ચારે કોરરાજ...ઉંચી મેડી.


નથી તારાયા, નથી તંબુડી (૨)


હે નથી ઉતર્યાનો આરો (ર)


"નરસિંહ" મેતાની સ્વામી શામળા રે,


પ્રભુજી ઉતારે પાર હો રાજ...ઉંચી મેડી.

+++ +++

શ્રદ્ધાનું ફળ :

ઘણા વર્ષો પહેલાની આ વાત છે, એક રાજા હતો એ રાજાનો એક પ્રધાન હતો. આ પ્રધાનને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે અપાર શ્રદ્ધા હતી. તે સતત તેની ભક્તિ કરતો અને કંઇપણ સારું થાય કે ખરાબ થાય તો પણ એ એમ કહેતો કે, "ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી સારૃં થયું." 

+++ +++

ક્યારેક આ અંગે રાજા તેને ટકોર કરે તો પણ તે કહેતો " ભગવાન શ્રી કૃષ્ણ તો ખૂબ જ દયાળુ છે અને તેઓ જીવમાત્રનું કલ્યાણ જ કરે છે અને મને તેમના ઉપર ખૂબ જ શ્રદ્ધા છે." 

એક વાર કંઇક કારણ બનતા રાજાના પગની ટચલી આંગળી કપાઇ ગઇ અને લોહી વહેવા લાગ્યું. એટલે તત્કાલ રાજ વૈદ્યને બોલાવવામાં આવ્યા. 


તેમણે આવી અને રાજાને સારી રીતે પાટો બાંધી આપ્યો. ત્યારે રાજાએ પ્રધાનને કહ્યું , "પ્રધાનજી, આજે અચાનક જ મારા આ પગની આંગળી કપાઇ ગઇ" પ્રધાન તરત જ બોલી ઉઠ્યા, "વાહ...રે..વાહ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી બધું સારૃં થયું." આ સાંભળી રાજાનો પિતા થયો તે બોલી ઉઠ્યો, "મારા પગની આંગળી કપાઈ ગઈ એમાં તને એમ લાગે છે કે, સારું થયું...? તરત જ રાજાએ પોતાના સિપાહીઓને આજ્ઞા આપી કે, આ પ્રધાનને અંધારી કાળી કોઠરીમાં પૂરી નાખો."

+++ +++

રાજાનો હુકમ થયો એટલે તુરત જ પ્રધાનને કાળી કોઠરીમાં પૂરવામાં આવ્યા. ત્યારે પ્રધાનજી ફરી એમ જ બોલ્યા કે, ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી સારું થયું." આ ઘટનાના થોડાક દિવસો પછી એક દિવસ એ રાજા પોતાના સૈનિકોને સાથે લઈ અને શિકાર કરવા નિકળ્યા, 

એક હરણનો શિકાર કરવાની ઇચ્છાથી યુક્ત એ રાજા પોતાના સૈનિકોથી વિખુટો પડી અને જંગલમાં ભૂલો પડી ગયો. એ વાતનું એને જ્ઞાન થયું ત્યારે તે ખૂબ જ થાકી ગયો હતો અને પાણીની તરસથી તે પીડાતો હતો, તેને ભૂખ પણ લાગી હતી. 

+++ +++

તે એક ઝાડના થડ પાસે બેઠો ત્યાં કેટલાક જંગલી લોકો આવ્યા, તેમણે આ રાજાને જોયો એટલે કંઇક અવાજ કરી નાચવા લાગ્યા. ત્યારબાદ એ રાજાને પકડી અને પોતાના સરદાર પાસે લઇ ગયા અને પછી તેને પીવા માટે પાણી અને ખાવાનું આપવામાં આવ્યું પછી તેને શુધ્ધ જળથી સ્નાન કરાવી અને એ જંગલી લોકોની દેવીના મંદિરમાં લઇ જવામાં આવ્યો. 

એટલે રાજા પરિસ્થિતિને પામી જઇ અને સમજી ગયો કે હવે તેની આ જંગલી લોકો બલી ચડાવી દેશે. તેથી તે ખૂબ જ ગભરાયો પરંતુ થાય શું..? 

એક બાજુ જંગલી નગારા વાગી રહ્યા હતા, બીજી બાજુ ચિત્ર - વિચિત્ર અવાજો સાથે જંગલી લોકો નાચી રહ્યાં હતા.

+++ +++

રાજા તો સમજી જ ગયો આજે આપણા પ્રાણ હરિ લેવાશે તેને દેવીમાંની મૂર્તિ સમક્ષ ઊભો રાખવામાં આવ્યા એટલે પૂજારી હાથમાં તલવાર લઇ પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયો અને જયાં તે રાજાનો માથું કાપવા જાય છે ત્યાં જ અચાનક તેની નજર રાજાના પગ પર પડી. 

પગની ટચલી આંગળી કપાયેલી જોઇ એ રાડ પાડી ઊઠ્યો, "આ પુરૂષ નરબલિ માટે કામ નહીં આવે, કારણ કે તેનું શરીર ખંડિત છે, ક

પાયેલું છે તેથી કપાયેલી આંગળી વાળા આ પુરૂષ નરબલિ માટે અયોગ્ય ગણાય.  માટે આ પુરૂષને છોડી મૂકો. એટલે જંગલીઓના સરદારે એ રાજાને છોડી મૂકવા આજ્ઞા કરી." 

રાજાને પ્રધાનના શબ્દો યાદ આવ્યા. ત્યાંથી મુક્ત થયેલો રાજા માંડ માંડ પોતાના રાજ્યની હદમાં પહોંચ્યો અને પછી પોતાના રાજ્યમાં પહોંચતા જ તે કોટડીમાં ગયો અને ત્યાંથી પ્રધાનને મુક્ત કરાવી અને તેને પગે લાગવા માંડ્યો પ્રધાન કહે, રહેવા દો મહારાજ, તમે મને પગે લાગો એ શોભતું નથી. પરંતુ થયું શું એ તો કહો..? 

પ્રધાનજી મારા પગની આંગળી કપાઇ ગઇ ત્યારે તમે કહેલું કે, ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી જે કંઇ થયું તે સારું થયું. તમે કહેલા શબ્દો સાચા પડ્યા.

+++ +++

"રાજા બોલ્યો" હું તો બચી ગયો અને સારું થયું, પરંતુ મેં તમને અંધારી કાળી કોઠરીમાં પૂર્યા ત્યારે પણ તમે કહેલું કે, ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી સારું થયું તો તમારે તો કાળી કોઠરીમાં પૂરાવું પડ્યું તેમાં શું સારું થયું....? ત્યારે પ્રધાન મંદ મંદ સ્મિત સાથે બોલ્યા, "

મહારાજ, હું રહ્યો તમારો પ્રધાન, તમે શિકરામાં નિકળ્યા ત્યારે હું જો મૂક્ત હોત તો તમારી સાથે શિકાર માટે નિકળ્યો હોત કારણ કે, મારો ઘોડો પણ તમારા ઘોડાની સાથે સાથે જ ચાલનારો છે હવે આપણે બન્ને આપણા રસાલાથી છૂટા પડી ગયા હોત અને પછી એ જંગલી લોકોએ આપણને પકડ્યા હોત તો તમે તો બચી જાત પણ મારું શરીર અખંડિત હતું તેથી મારી તો તરત જ બલિ ચડાવાઇ ગઇ હોત ...!

ખરું ને....!? 

ત્યારે રાજા બોલ્યા, "તમારી વાત ખરી છે અને તમારી શ્રધ્ધા પણ ખરેખર સાચી છે. ભગવાન શ્રી કૃષ્ણ જે કંઇ કરે છે તે જીવમાત્રના કલ્યાણ માટે જ કરે છે .

+++ +++

:: ભજન ::


દિલને વિશાળ તું બનાવ આકાશ એ સમજાવે.


મનની મોટાઈ તને મોટો બનાવશે,


દોષો સકલના તું દિલમાં છુપાવશે,


થઇ જશે તું તો ભગવાન આકાશ...


સુખમાં ફૂલીને વૃથા ફાળકો બને છે તું,


થઇને ગમાની સદા શાનો ફરે છે તું,


સુખમાં સદાય રહેનાર આકાશ...


દુઃખમાંહી દીન બની આસું વહાવે તું ,


થઇને હતાશ સદા હૈયે રડે છે તું,


દુઃખના દિવસ છે બે ચાર આકાશ...


વાયુને મેઘ બધા વ્યોમે વિચારતા,


તોય જરીક એ આભને અડકતા,


થઇ જા અનંતને અપાર આકાશ...

हर हर महादेव जय मां अंबे मां !!!!! शुभमस्तु !!! 

+++ +++

🙏हर हर महादेव हर...!!

जय माँ अंबे ...!!!🙏🙏

पंडित राज्यगुरु प्रभुलाल पी. वोरिया क्षत्रिय राजपूत जड़ेजा कुल गुर: -

श्री सरस्वति ज्योतिष कार्यालय

PROFESSIONAL ASTROLOGER EXPERT IN:- 

-: 1987 YEARS ASTROLOGY EXPERIENCE :-

(2 Gold Medalist in Astrology & Vastu Science) 

" Opp. Shri Satvara vidhyarthi bhuvn,

" Shri Aalbai Niwas "

Shri Maha Prabhuji bethak Road,

JAM KHAMBHALIYA - 361305 (GUJRAT )

सेल नंबर: . + 91- 9427236337 / + 91- 9426633096  ( GUJARAT )

Vist us at: www.sarswatijyotish.com

Skype : astrologer85

Email: prabhurajyguru@gmail.com

Email: astrologer.voriya@gmail.com

आप इसी नंबर पर संपर्क/सन्देश करें...धन्यवाद.. 

नोट ये मेरा शोख नही हे मेरा जॉब हे कृप्या आप मुक्त सेवा के लिए कष्ट ना दे .....

जय द्वारकाधीश....

जय जय परशुरामजी...🙏🙏🙏

+++ +++