pina_AIA2RFAWACV3EAAAGAAFWDL7MB32NGQBAAAAAITRPPOY7UUAH2JDAY7B3SOAJVIBQYCPH6L2TONTSUO3YF3DHBLIZTASCHQA https://www.profitablecpmrate.com/gtfhp9z6u?key=af9a967ab51882fa8e8eec44994969ec Adhiyatmik Astro: May 2026

Adsence

Saturday, May 30, 2026

નિષ્કામ ભક્તિની મહતા :

નિષ્કામ ભક્તિની મહતા :  

નિષ્કામ ભક્તિની મહતા :

એક વાર પાંડવોને વનવાસ ભોગવવાનો વખત આવ્યો. આ સમયે અનેક પ્રકારના કષ્ટોમાંથી પાંડવોને પસાર થવું પડેલું કારણ કે, કાયમ સુખમાં ઉછરેલા અને રાજમહેલમાં રહેનારા આ પાંડવોને કાંટા, હિંસક પશુઓ પથરાયેલી પથારી વગેરેથી યુક્ત રહેવું પડતું. 

આવી ખરાબ પરિસ્થિતિ વચ્ચે જીવવું દુષ્કર બની જાય તેમ છતાં પણ પાંડવો પોતાની ધર્મપત્ની દ્રૌપદી અને કુન્તા માતા વનમાં દિવસો વ્યતિત કરી રહ્યા હતા. આ સમયે સૌથી વધુ ધીરજ યુધિષ્ઠિરે રાખી હતી. તે સવાર અને સાંજ નિયમિત પરમકૃપાળુ પરમાત્માના ધ્યાનમાં મગ્ન થઇ જતા હતા. તેમને પ્રભુ પ્રત્યે અપાર શ્રદ્ધા હતી. પોતાના પર આવી પડેલા આ મહાકષ્ટને તે કર્મનું ફળ જ માનતા હતા. 




MurtiHome Shyamsundar Krishna Murti, 10.16 cm Height, Black, 3D Printed, UV Resin, Lord Shri Gopal for Car Dashboard, Home, Office, and Gift

Visit the MurtiHome Store  https://amzn.to/49rNS4v


એક વાર દરરોજની જેમ પૂજા-ધ્યાન પૂર્ણ કરી યુધિષ્ઠિર ઉઠ્યા ત્યારે દ્રૌપદીજી ઊભા હતા. તેમનાથી ન રહેવાયું તે બોલી ઉઠ્યા, "તમે આટલા બધા પૂજા - પાઠ અને ધર્મધ્યાન કરો છો પરંતુ આપણા સંકટો તો દિવસો દિવસ વધતા જ જાય છે. 

+++ +++

તમે ભગવાનને કહેતા શા માટે નથી? "

કે આપણા બધા જ સંકટો દૂર થઈ જાય. તમે તો સહનશીલ છો પરંતુ તમારા આ ભાઇઓ વનમાં ઠોકરો ખાઇ ખાઈ કેટલું બધું દુઃખ વેઠી રહ્યાં છે. ક્યારેક પથ્થરની ચટ્ટાન ઉપર સુવું પડે છે તો ક્યારેક કાંટાળા માર્ગ પર ચાલવું પડે છે. 

ક્યારેક તરસ લાગી હોય તો પાણીના ફાંફા થાય છે તો ક્યારેક ખાવાના સાંસા પડે છે. હું જાણું છું કે જો તમે માત્ર એકવાર ભગવાન પાસે પ્રાર્થના કરશો તો આપણા તમામ દુઃખોને તે દૂર કરી નાખશે."

+++ +++

દ્રૌપદીજીની આ વાત સાંભળીને પ્રથમ તો યુધિષ્ઠિર હસ્યા પછી હળવેકથી કહ્યું, "દ્રૌપદી, પહેલી વાત તો એ કહું જે પ્રભુભક્તિ કરું છું તેનું મુખ્ય કારણ એ છે કે, પ્રભુની ભક્તિ કરવી મને ખૂબ જ ગમે છે." 

મને તેમાં અત્યંત આનંદ આવે છે. એ નિત્યાનંદની પ્રાપ્તિ માટે પ્રભુભક્તિ કરવી એ અલગ વાત છે. હવે જો આનંદ માટે ભક્તિ કરતો હોઉ અને હું જો ભગવાન પાસે કંઇને કંઇ માંગવા લાગું તો તે મારી પ્રાર્થના સાંભળી અને આપણા કષ્ટ કલેશોને દૂર 

+++ +++

તો કરી જ દેશે તેવી મને પૂરી શ્રદ્ધા છે પરંતુ દુઃખની વાત એ છે કે આપણે જે કર્મો કર્યા હોય તેના ફળ ભોગવવાથી દૂર ભાગીએ તો એ પણ એક પ્રકાની કાયરતા જ ગણાય ને? 

વળી આપણે પ્રાર્થના પૂજાના બદલામાં પ્રભુ પાસે કંઇ માંગીએ તો એક પ્રકારનો વ્યાપાર થયો ગણાય. " ભગવાન પાસે ક્યારે સોદાબાજી કરવી ન જોઇએ કારણ કે ભક્તિ કરતાં કરતાં આપણે તેની પાસે કંઇક માંગ્યું તો એક વેપાર થયો ગણાય. જેની કોડીની પણ કિંમત નથી રહેતી વળી, હું તો પ્રભુની નિષ્કામ ભક્તિ કરું છું નિષ્કામ ભક્તિમાં જ સાચા આનંદની પ્રાપ્તિ થાય છે. માટે મને હવે ફરી ક્યારે પણ એ વાત ન કરશો કે પ્રભુ પાસેથી ભક્તિના બદલામાં કંઇક માંગો."

+++ +++

આ સાંભળી દ્રૌપદીને સંતોષ થયો અને પોતે જે માંગણી કરેલી તે ભૂલ બદલ તેમણે યુધિષ્ઠિર પાસે ક્ષમા માંગી. ભગવાન શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિર, પાંડવો, કુન્તી માતા અને દ્રૌપદીજીની નિષ્કામ ભક્તિને કારણે મહાભારતના યુદ્ધ સમયે પાંડવોનો સંપૂર્ણ સાથ આપ્યો કારણ કે, તે નિષ્કામ, નિષ્કપટ અને સત્યને વળગી રહેનારા હતા. 

માટે જ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના રથના સારથી બન્યા અને તેમણે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાને લીધે જ જીતવી અતિ મુશ્કેલ એવી કૌરવોની સેના પર વિજય મેળવ્યો. આમ, નિષ્કામ ભક્તિનું ભગવાન ફળ અવશ્ય આપે છે અને એ જ્યારે આપે છે ત્યારે કોઇ હિસાબ રાખતા નથી.

+++ +++

:: ભજન ::


જગની સૌ વાતોનો સાર(ર)


મારે એક હરિનું નામ.


મારા જીવનનો આધાર(૨)


મારે એક હરિનું નામ.


બહુ જોયુંને બહુ બહુ જાણ્યું,


અનુભવ્યું, સુષ્ય ઘણું,


અંતે દ્રઢ થયો વિચાર(૨)


મારે એક હરિનું નામ.


સતસંગની બલિહારી છે,


જેમાંથી એ સાંપડ્યું.


મંથન કરતા માખણ સાર(૨)


મારે એક હરિનું નામ.


હૃદય તણા તાળાને માટે,


 ચાવી હરિના નામનીસ


ખોલી નાખે દિલના દ્વાર (૨)


મારે એક હરિનું નામ.


હાથીના પગલાંની મધ્યે


સૌ પગલાં સમાય છે,


"પુનિત" કરશે બેડો પાર(૨)


મારે એક હરિનું નામ




ભાવનાનું ફળ :

પુષ્ટીમાર્ગના ગુંસાઇજી પાસે એક વેપારી આવતા. તેની શ્રદ્ધા ખૂબ જ સાચી પરંતુ તેનો સ્વભાવ ભારે કંજુસ. તેમની પાસે અનહદ ધન હતું. પરંતુ તે સદમાર્ગે એક પૈસો પણ ખર્ચ કરવા તૈયાર ન હતા. 

એક દિવસ ગુંસાઇજી કહે છે કે, "જો ભાઇ તારે કાયાનું કલ્યાણ કરવું જ હોય તો તું ઠાકોરજીની સેવા કર." 

+++ +++

"ઠાકોરજીની સેવા તો કરવા તૈયાર છું. પરંતુ પછી ઠાકોરજી માટે શણગાર લેવા પડે અને તેમને ધરવા માટે દૂધ સામગ્રીના ખર્ચા કરવા પડે અને કોઇપણ પ્રકારનો ખર્ચ કરવો પડે તેવી સેવા કરવાનું મને ન ફાવે." 

વેપારી શિષ્ય ગુંસાઇજીને કહ્યું. ગુંસાઇજી કહે છે, "જો ભાઇ તારે ઠાકોરજીની સેવા જ કરવી હોય તો તને એક પૈસાનો પણ ખર્ચ ન થાય તેવી સેવા બતાવું. ઠાકોરજીની માનસિક સેવાનો એક એવો પ્રકાર છે કે જેમાં એક પૈસાનો પણ ખર્ચ ન થાય." 

+++ +++

"એવી સેવા હોય તો તે મને જરૂર બતાવ જો એક પણ પૈસાનો ખર્ચ ન હોય તો એવી સેવા હું જરૂર કરીશ. મને માનસી સેવાનો એ પ્રકાર સમજાવો." 

કહી અને વેપારી ઉત્સુક્તા સાથે ઠાકોરજીની માનસિક સેવા કરવા તૈયાર થઇ ગયો.

ગુંસાઇજી તે વેપારીને સમજાવતા કહે છે, "તારે દરરોજ વહેલી સવારે ઠાકોરજીને મનોમન જગાડવા પછી મનોમન દૂધમાં ખાંડ, કેસર નાખી અને તે દૂધ ઠાકોરજીને ધરવું. પછી તેમને સ્નાન કરાવવું, પછી તેમને શૃંગાર ધરવાનું,  પછી તેને ભોગ ધરવો, આરતી કરવી. "

+++ +++

"બપોરે ફરી રાજભોગ ધરવો, સાંજે ફરી ઠાકોરજીને મેવો ધરવો, તેમની આરતી કરી પછી એમને પોઢાડી દેવાના. બસ આજ નિત્ય કર્મ પ્રમાણે દરરોજ ઠાકોરજીની હૃદયપૂર્વક સેવા કરવી. સેવા કરવાથી મન પવિત્ર થાય છે અને તેથી ઠાકોરજીની કૃપા પ્રાપ્ત થાય છે."

આ પ્રમાણે ગુંસાઈજી પાસેથી નિત્યક્રમને સમજી લઇ અને વેપારી તો પોતાને ઘરે ગયો. પછી તેને તો દરરોજ ઠાકોરજીની માનસી સેવા શરૂ કરી દીધી. પાંચ પૈસાનો પણ ખર્ચ ન હતો તેથી તેને માનસિક સેવામાં અલૌકિક આનંદ આવવા લાગ્યો. 

+++ +++

પછી જ્યારે જયારે ગુંસાઇજી વેપારીને મળતા ત્યારે ત્યારે પૂછતા, "કેમ ભાઇ, ઠાકોરજીની સેવા કેમ ચાલે છે ?" 

વેપારી કહે છે, "ખરેખર, મહારાજ ઠાકોરજીની સેવામાં મને તો હવે અલૌકિક આનંદ આવતો જાય છે." આમને આમ સેવા કરતા એ વેપારીએ એક દિવસ માનસી સેવા કરતા ઠાકોરજીને જગાડ્યા.

પછી તેમને ધરવા માટે દૂધનો વાટકો લીધો અને મનોમન લીધેલા એ દૂધના વાટકામાં ખાંડ પણ નાખી. પરંતુ ઉતાડવમાં થોડી ખાંડવધુ પડી ગઈ હોય તેવું વેપારીને લાગ્યું એટલે તુરંત જ વેપારીનો મુળ કંજુસીયો સ્વભાવ જાગૃત થયો તે પૂજામાં તન્મય થયો હતો. 

+++ +++

દૂધની વાટકીમાંથી ખાંડ કાઢવા જયાં દૂધમાં હાથ નાખવા જાય છે ત્યાં સાક્ષાત શ્રી કૃષ્ણ પ્રગટ થયા અને વેપારીનો હાથ પકડી લીધો.

પ્રભુ કહે છે કે, "અલ્યા તું તો ભારે કંજુસીયો એક તો માનસી સેવામાં ખોટે ખોટું તું દૂધ ધરે છે. એમાં ખોટે ખોટી ખાંડ નાખે છે ને વળી તેમાંથીય ખાંડ પાછી કાઢવાની કરે સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણનો સ્પર્શ થતાં તે વેપારીને એક અલૌકિક આનંદનું અનુભવ થયો. 

પછી તે સાચો વૈષ્ણવ બની પોતાની સંપત્તિનો ઠાકોરજીની સેવામાં ઉપયોગ કરતો રહ્યો. અને જીવનના અંતે તેણે ગૌલોકમાં સ્થાન મેળવ્યું.

+++ +++

:: ભજન ::


મારો શામળો સાંભળે સહ વાત ને રે,


હું તો ભૂલી ગયો છું મારી જાત ને રે...


કોણ કોનું ? આ ખોટા સંસારમાં રે,


હું તો જીવું છું એના આધારમાં રે...


જેમ થતું હતું હોય એમ ભલે થઇ જતું રે,


જગ આખુ યે છાનું ડુબી જતું રે...


મારું ભજન મને તો બહુ ભાવતું રે,


"પુનીત" શામળીયો કરી લેશે ફાવતું રે...

हर हर महादेव जय मां अंबे मां !!!!! शुभमस्तु !!! 

🙏हर हर महादेव हर...!!

जय माँ अंबे ...!!!🙏🙏

+++ +++

पंडित राज्यगुरु प्रभुलाल पी. वोरिया क्षत्रिय राजपूत जड़ेजा कुल गुर: -

श्री सरस्वति ज्योतिष कार्यालय

PROFESSIONAL ASTROLOGER EXPERT IN:- 

-: 1987 YEARS ASTROLOGY EXPERIENCE :-

(2 Gold Medalist in Astrology & Vastu Science) 

" Opp. Shri Satvara vidhyarthi bhuvn,

" Shri Aalbai Niwas "

Shri Maha Prabhuji bethak Road,

JAM KHAMBHALIYA - 361305 (GUJRAT )

सेल नंबर: . + 91- 9427236337 / + 91- 9426633096  ( GUJARAT )

Vist us at: www.sarswatijyotish.com

Skype : astrologer85

Email: prabhurajyguru@gmail.com

Email: astrologer.voriya@gmail.com

आप इसी नंबर पर संपर्क/सन्देश करें...धन्यवाद.. 

नोट ये मेरा शोख नही हे मेरा जॉब हे कृप्या आप मुक्त सेवा के लिए कष्ट ना दे .....

जय द्वारकाधीश....

जय जय परशुरामजी...🙏🙏🙏

+++ +++


Wednesday, May 27, 2026

દયાળુ રાજા :

દયાળુ રાજા : 

દયાળુ રાજા :

જયારે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકાના રાજા હતા ત્યારની આ વાત છે. 

તેની દ્વારકા નગરીમાં એક પ્રજ્ઞાચક્ષુ ( બંધ ) પુરૂપ રહેતો હતો. 

તેને એક પત્ની અને એક પુત્ર હતા. પિતા - પુત્ર ઘેર ઘેર ભીક્ષા માંગી અને જીવન નિર્વાહ ચલાવતા હતા. 

જે નગરીના રાજા ભગવાન શ્રી કૃષ્ણ હોય તે નગરીની પ્રજા દયાળુ હોય એ તો સ્વાભાવિક જ છે. 

આ પ્રજ્ઞાચક્ષુ ( બંધ ) એવો પુરૂષ ખૂબ જ સંતોષી અને ભલો હતો અને પોતાના કુટુંબ જેટલું મળી રહે એટલે તે વધુ ભીક્ષા માટે પણ ન ફરતો. 

ગામને છેવાડે એક નાનું ઝુપડું બનાવી અને તેમાં એ કુટુંબ રહેતું હતું. 

પોતાના જીવનમાં સંતોષ અને આનંદ હતો. 

કુટુંબના ત્રણેય સભ્યોને કોઇપણ પ્રકારનું દુઃખ જ ન હતું. 

આવા એ કુટુંબમાં એક દિવસ વિચિત્ર બનાવ બની ગયો. 

તે પ્રજ્ઞાચક્ષુનો પુત્ર સમુદ્ર કિનારે રમવા ગયો. 

ત્યાં તે રેતીના ઝુપડાં બનાવતો હતો. 

ત્યારે ત્યાં એક બીજો છોકરો આવ્યો. તેણે આવીને આ પ્રજ્ઞાચક્ષુના પુત્રએ બનાવેલા ઝુંપડાને ભાંગી ત્યારે વિવેક સાથે પ્રજ્ઞાચક્ષુના છોકરાએ કહ્યું, 

"ભાઇ, હું માટીના ઝુંપડા બનાવું તેને તું ભાંગી નાખે છે તને આમ કરવું શોભતું નથી."  

આ સાંભળી અને છંછેડાયેલો તે છોકરો કહેવા લાગ્યો, "તું જ્યાં જ્યાં ઝુંપડા બનાવીશ ત્યાં ત્યાં હું તોડી નાખીશ. 

કારણ કે ઝુંપડામાં રહેનારા ગરીબોને હું ધિક્કારું છું."

દયાળુ રાજા :


INDICAST 8" Tirupati Balaji Fine Metal Finish Idol Decorative Showpiece Handcrafted Tirupati Balaji Murti for Home Office and Gifting Purpose Sculpture, Golden, Pack of 1

Visit the INDICAST Store   https://amzn.to/3Pv62M2


આમ, તેણે ગરીબ છોકરાનો તિરસ્કાર કર્યો. 

ગરીબાઇને લીધે તિરસ્કૃત થયેલા એવા તે પ્રજ્ઞાચક્ષુના પુત્રને આ વાત સાંભળી અને ક્રોધ તો ચડ્યો તેમ છતાં તેણે મન ઉપર કાબૂ રાખી તે છોકરાને કહ્યું, 

"જો ભાઇ, કોઇ ગરીબની આ રીતે હાંસી ઉડાવવી એ યોગ્ય નથી. ''

ત્યારે પેલો છોકરો તેના વિશે જેમ તેમ બોલવા લાગ્યો, એટલે પ્રજ્ઞાચક્ષુના છોકરાને ખૂબ જ ક્રોધ ચડ્યો અને ક્રોધમાંને ક્રોધમાં તેણે પેલા છોકરાને માર માર્યો. 

માર મારતા તો મારી ગયા પછી જાણ્યું કે, પોતે કોના છોકરાને માર માર્યો છે ? 

તે સાંભળી ગભરાઇ અને ત્યાંથી ભાગ્યો અને પોતાના પિતા પાસે ઘેર ઝુંપડીમાં પહોંચી ગયો. 

પછી પિતાને સઘળી હકિકત કહી સંભળાવી અને કહ્યું કે, "તે છોકરો બીજો કોઇ નહીં પણ આપણા રાજા શ્રી કૃષ્ણનો પુત્ર પ્રદ્યુમન હતો.

" આ સાંભળી અને પ્રજ્ઞાચક્ષુ અને તેની પત્ની તો ખૂબ જ વિલાપ કરવા લાગ્યા, "

બેટા, તે આ શું કર્યું? 

રાજાના પુત્રને ક્યારે માર મરાય? 

તે આ મોટી ભૂલ કરી છે.
+++ +++
બેટા ગમે તેમ તોય રાજા એટલે રાજા. 

તારી આ ભૂલની સજા આપણને સૌને ભોગવવી પડશે. 

એટલું જ નહીં પોતાના પુત્રને માર ખાધેલો જોઇ અને બળવાન એવા શ્રી કૃષ્ણનો આપણને ઘાસની પેઠે ઉખાડી અને ફેંકી દેશે. 

બેટા, તને આવી કુબુધ્ધિ કેમ સુઝી ? "
+++ +++
આમ, જયારે પ્રજ્ઞાચક્ષુ અને તેની પત્ની વિલાપ કરી રહ્યાં હતાં ત્યાં તો સાક્ષાત શ્રી કૃષ્ણ તેના પુત્ર અને સૈનિકોને સાથે લઇ પ્રજ્ઞાચક્ષુની ઝુંપડી પાસે આવ્યા. 

તેમનો કોલાહલ સાંભળી અને પ્રજ્ઞાચક્ષુ, તેનો પુત્ર અને પત્ની ઝુંપડામાંથી બહાર નિકળ્યા અને પ્રજ્ઞાચક્ષુ એવા એ ગરીબ તો થરથર કાંપતા બે હાથ જોડતા મહારાજા શ્રીકૃષ્ણને પ્રાર્થના કરી, 

"મહારાજ હું અંધ ગરીબ છું અને મારા પુત્ર એ તમારા પુત્રને માર માર્યો તે જાણી મને ખૂબ જ દુઃખ થયું. તેણે અજાણતા જ આ દોષ કર્યો છે. 

તો આપ તો વિશાળ હૃદયના છો અને મારા બાળકને અલ્પ બુદ્ધિ જાણી અને આપ ક્ષમા કરો એવી મારી નમ્ર વિનંતી છે.
+++ +++
એ આગળ કંઇ બોલે તે પહેલાં શ્રી કૃષ્ણ બોલ્યા, 

"હું તમારા ત્રણેયની કર્મ - કથની જાણું છું. 

માટે જ હું તમારે આંગણે આવું છું. પ્રદ્યુમન આજે નાનો બાળક છે અને તે જો રમતમાં ગરીબ બાળકોના માટીના ઝુંપડા તોડે તો ભવિષ્યમાં તે રાજા થશે ત્યારે જો ગરીબ લોકોની ઉપર પણ આવો જ અત્યાચાર કરે તો? 

તેથી મેં તેને સત્ય સમજાવ્યું અને તમને તે જ કહેવા આવ્યો છું કે, તમે આ બાબતે કોઇપણ પ્રકારની જરાયે ચિંતા ન કરતા.
+++ +++
આમ કહેતા શ્રીકૃષ્ણએ પોતાની યોગ શક્તિ વડે તે પ્રજ્ઞાચક્ષુની બન્ને આંખો ઉપર હળવેકથી હાથ ફેરવ્યો ત્યારે તરત જ તે પ્રજ્ઞાચક્ષુની આંખોમાં દ્રષ્ટિનો સંચાર થયો અને તે બધું જ જોવા લાગ્યો. 

સામે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણને જોઇ તેને ચરણોમાં પડી જઈ અને તેમને સાક્ષાત દંડવત પ્રણામ કર્યા. 

ત્યારે ભગવાને તે ગરીબને કહ્યું, આજ દિવસ સુધી તે ખૂબ જ દુઃખ ઉઠાવ્યા છે. 

હવે આજથી તને કોઇ જાતનું દુઃખ નહીં રહે તેવી વ્યવસ્થા કરું છું કહી ભગવાને તેને ઐશ્વર્ય પણ આપ્યું.
+++ +++
:: ભજન ::

ધન્ય એકાદશી એકાદશી,

કરીએ તો વ્રજ સુખ પામીએ.

મારે એકાદશીનું વ્રત સારું છે,

એ તો પ્રાણજીવનને પ્યારું છે.

એ તો પ્રભુ પાસે લઇ જનારું છે, ધન્ય...

કોઇ બારેમાસ કરે એકાદશી,

તેના અંતરમાં વશે અવિનાશી.

નહીં કરશે તે જશે હાથ ઘસી, ધન્ય...

મારે ગંગા ઘાટે જાવું છે,

મારે જમુના જળમાં ન્હાવું છે.

મારે ભવસાગર તરી જાવું છે, ધન્ય...

જેણે એકાદશીના વ્રત કીધાં છે,

તેના પાંચ પદારથ સીધ છે.

તેને પ્રભુએ પોતાના કરી લીધા છે, ધન્ય...

અંબરીષે એ વ્રત કીધું છે, દંડ દુર્વાસાએ દીધું છે.

રસ "કલ્યાણ " રાયે પીધું છે, ધન્ય...

દયાળુ રાજા :


સેવાનું ફળ :


એકવાર ભગવાન શ્રીકૃષ્ણ બેઠા બેઠા શેરડી ખાતા હતા. 


ત્યારે તેમની પાસે તેમની અષ્ટ પટરાણીઓ પણ બિરાજી રહી હતી તે ઉપરાંત દ્રૌપદીજી પણ ત્યાં હાજર હતા. 


સૌ વાતોમાં મગ્ન હતા અને આનંદનું વાતાવરણ સર્જાયું હતું. 

તેમાં અચાનક જ ભગવાન શ્રી કૃષ્ણના હાથમાં શેરડી છોલતા ચીરો પડી ગયો અને આંગળીમાંથી લોહી નિકળવા લાગ્યું. 

એકાએક બનાવ બનતા અષ્ટ પટરાણીઓ ગભરાયા અને ભગવાન શ્રીકૃષ્ણના હાથમાં પાટો બાંધવા માટે લીરો શોધવા દોડા દોડી કરવા લાગ્યો. 

ત્યાં બેઠેલા દ્રૌપદીજીએ પણ ભગવાનના હાથમાંથી લોહી વહેતા જોયું તેથી તેમને પણ પારાવાર દુઃખ થયું પછી એક પળની પણ ચિંતા કર્યા વગર 

તેમણે પોતાની નવી નકોરી સાડીના છેડેથી એક લીરો ફાડી અને તેનો પાટો બનાવી અને ભગવાન શ્રીકૃષ્ણને તુરંત જ બાંધી દીધો.
+++ +++
જયારે પટરાણીઓ પાટા લઇને આવી ત્યારે ભગવાન શ્રીકૃષ્ણના હાથમાં પાટો બંધાયેલો જોઇ અને તેઓ આશ્ચર્યમાં પડી ગઇ. 

પછી સર્વે વિગત જાણી અને સૌને થયું કે, અમે અમારા પત્ની વ્રત ધર્મ બજાવવામાં નિષ્ફળ રહ્યા. 

હવે ભગવાન શ્રી કૃષ્ણની દ્રૌપદીજીએ કરેલી આ સેવાનો બદલો ભગવાને સતત તેનું રક્ષણ કરી અને વાળ્યો. ભગવાન શ્રીકૃષ્ણ દ્રૌપદીના ચીર હરણ થયા ત્યારે તેની લાજ રાખી એટલું જ નહી. 

જ્યારે દુર્વાસામુનીને કૌરવોએ કપટથી પાંડવોને ત્યાં ભોજન માટે મોકલ્યા ત્યારે પણ ભગવાને દ્રૌપદીજીની લાજ રાખી. 

જ્યારે જ્યારે વિપત્તિ પડી ત્યારે ત્યારે 

આખરે દ્રૌપદીજી ભગવાન શ્રી કૃષ્ણને ખરા અંતઃકરણપૂર્વક યાદ કરતા અને ભગવાન શ્રીકૃષ્ણ પણ તુરંત જ હાજર થઇ જતા અને પોતાની લીલા વડે પળવારમાં તેઓ પાંડવોના દુઃખને દૂર કરી દેતા.
+++ +++
ભગવાન શ્રીકૃષ્ણની સેવાનું ઉત્તમ ફળ દ્રૌપદીજીએ પ્રાપ્ત કર્યું. 

ભગવાન ખરેખર ભાવનાના ભૂખ્યા છે તે આ પ્રસંગ પરથી જગતને બતાવ્યું છે એટલું જ નહીં નાની એવી પાટો બાંધવાની સેવાથી પ્રસન્ન થયેલા પ્રભુ દ્રૌપદીજીની સેવાને ક્યારે ભૂલ્યા નથી. 

ભગવાન શ્રી કૃષ્ણએ જે ફરજો બજાવી છે તેને આજે પણ ભૂલી શકાય તેમ નથી. 

તેઓ વિદ્યાર્થીકાળમાં પોતાને ગુરૂને ત્યાં ભણતા હતા. 

સાંદિપની ઋષિ ભગવાન શ્રીકૃષ્ણને ભણાવતા. 

ખૂબ જ સંતોષી એવા આ ઋષિને ત્યાં ભણતર પૂરું કર્યા પછી ભગવાન શ્રી કૃષ્ણ ગુરૂદેવને કહે છે, 

"ગુરૂદક્ષિણા આપ્યા વિના વિદ્યા ફળે નહીં માટે હે ગુરૂદેવ, તમે કહો તે ગુરૂદક્ષિણામાં આપવા તૈયાર છું." 

પરંતુ ગુરૂદેવ કંઈ લેવા તૈયાર નથી. ખૂબ રકઝક થઇ પણ અંતે સાંદિપની ઋષિએ કશું જ ન લેવા કહ્યું. ત્યારે શ્રીકૃષ્ણ ગુરૂપત્ની પાસે જઇ કહે છે, 

"હે ગુરૂમાતા, ગુરૂજી તો ગુરૂદક્ષિણામાં કશું જ લેવા તૈયાર નથી. પરંતુ તમે કંઇક માંગો તમે જે દક્ષિણામાં માંગશો તે આપવા હું તૈયાર છું." 

ત્યારે ગુરૂમાતા કહે છે, "બેટા, અમે તો સંતોષથી જીવનારા બ્રાહ્મણ છીએ. 

આમ છતાં પણ તમે કંઇક આપવા જ માંગતા હોવ અને આપી શકવાને શક્તિમાન હો તો હું કુટુંબ સહિત તિર્થક્ષેત્ર સેવા પ્રભાસમાં ગઈ હતી. 

ત્યાં સાગરમાં મારો પુત્ર ડૂબી ગયો છે તે જો પાછો લાવી આપો તો મારા અંતઃકરણને સંતોષ થશે."
+++ +++
ત્યારે ગુરૂદક્ષિણા ચૂકવવા મક્કમ બનેલા ભગવાન શ્રી કૃષ્ણ ગુરૂમાતાએ કહેલી સેવાનું ફળ આપવા યમરાજ પાસે જઇ અને તેમના પુત્રને લઈ અને પાછા આવી પોતાના ગુરૂ અને ગુરૂમાતાને તેમનો પુત્ર સોંપી અને ગુરૂદક્ષિણા ચૂકવે છે. 

આમ, ભગવાન શ્રીકૃષ્ણ પોતાની સેવાનું ફળ આપવા હંમેશા તત્પર રહ્યાં છે. 

જગતને આનંદ આપનારા ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરવા મળે તે પણ માટે સૌભાગ્યની વાત ગણાય.
+++ +++
:: ભજન ::

વારી વારી શ્રી ગીરધરલાલ તમારા લટકાને

હું વારી સુંદર શ્યામ તમારા લટકાને.

લટકે ગીરી ગોવર્ધન તોલ્યો લટકે પર્વત વારી રે,

લટકું જઇ જમુનામાં કીધું, હાલે લટકે નાથ્યોકાલી.

લટકે વનમાં ધેનુ ચરાવી, લટકે વાર્યો વાસ રે,

લકટે દાવાનળને પીધો વહાલે લટકે માર્યો કંસ.

લટકે નરસિંહ રૂપ ધરીને, થંભમાં લીધો વાસરે,

હાથે હરિએ હિરયાકંશ્યને માર્યો, ઉગાર્યો પ્રહલાદ.

લટકે વામન રૂપ ધરીને , ગયા છે બલીને દ્વાર રે,

ત્રણ ડગલામાં પ્રથ્વી લીધી, બલીને ચાંપ્યો પાતાલ.

લટકે રઘુવીર રૂપ ધરીને, તાતની આજ્ઞા પાળી રે,

લટકે રાવણ રણમાં રાખ્યો, વહાલે લટકે સીતા વારી.
हर हर महादेव जय मां अंबे मां !!!!! शुभमस्तु !!! 
+++ +++


+++ +++


Tuesday, May 26, 2026

દ્રૌપદીની ક્ષમાશીલતા

દ્રૌપદીની ક્ષમાશીલતા:  


દ્રૌપદીની ક્ષમાશીલતા:  


મહાભારતના યુદ્ધ સમયની વાત છે. મહાભારતનું યુદ્ધ પુરું થયું ત્યારે પછી ભગવાન શ્રીકૃષ્ણ પાંડવોની સાથે જ્યાં પાંડવોના તંબુ હતા ત્યાં થોડે દૂર કોઇ કારણોસર ગયા હતા. 


આ તંબુઓમાં મહાભારતના યુદ્ધ દરમ્યાન પાંડવ પક્ષની રાણીઓ, નારીઓ અને નાના બાળકો રહેતા હતા. 


કૌરવ પક્ષે રહેલા દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામાને જાણ થઇ ગઇ કે આજે પાંડવોના તંબુઓમાં સ્ત્રી અને બાળકો સિવાય બીજો કોઇ ત્યાં નથી. 


દ્રૌપદીની ક્ષમાશીલતા



StonKraft Brass Wall Hanging Diya (Gold_7.9 Inch X 7.9 Inch X 5.9 Inch)

Visit the StonKraft Store   https://amzn.to/3PJgak8


તે તેનો લાભ લઇ દ્રૌપદીના પાંચ પુત્રોનું ગળું કાપી તેમની હત્યા કરી નાખી અને પાંડવોના શિબિરમાં આગ લગાડી દીધી.

આ ઘટના બની તે દરમ્યાન વહેલી સવારે ભગવાન શ્રીકૃષ્ણ અને પાંડવો જયારે તે તંબુઓ પાસે પહોંચ્યા અને જુએ છે તો સ્ત્રીઓ હૈયાફાટ રૂદન કરી રહી છે અને દ્રૌપદીજી ભારે આક્રંદ કરી રહ્યાં હતા. અને તેના પાંચ પુત્રોના મસ્તક કપાયેલા ધડ પડ્યા હતા. 

આ ઘટના જોઇ અને પાંચેય પાડવ ભાઇઓ તો ક્રોધિત થઇ ગયા. 

ગુસ્સામાંને ગુસ્સામાં અર્જુન દ્રૌપદીજીને કહે છે કે, "તું ધીરજ રાખ, 
+++ +++
આ દુષ્કૃત્ય કરનારા એ અશ્વત્થામાને તેણે જે નીંદનીય કર્મ કર્યું છે તેનું ફળ અવશ્ય મળશે. તેને ઉચિત છે તે હું આપીશ. 

હું એનું માથું કાપી અને તારા ચરણોમાં મુકીશ. જેથી તારો શોક દૂર થાય." ત્યારે પછી ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન રથ ઉપર બેસીને સીધા અશ્વસ્થામા પાસે ગયા, 


દ્રૌપદીની ક્ષમાશીલતા


ત્યારે ત્યાં અર્જુન અને અશ્વસ્થામાં વચ્ચે ભીષણ યુદ્ધ થયું. 

ત્યાં આખરે અર્જુને પોતાની કુનેહ વડે અશ્વત્થામાને કેદ કર્યો પરંતુ તેને મારવાનું અર્જુનને યોગ્ય ન લાગ્યું. 
+++ +++
કારણ કે ગમે તેમ તોય અશ્વસ્થામાં ગુરૂપુત્રખરો ને. તેથી કેદ કરેલ અશ્વત્થામાને મજબૂત દોરડા વડે બાંધી પોતાના રથમાં નાખી અને તંબુઓ પાસે લાવ્યા અને જયાં દ્રૌપદી બેઠા હતા 

તે જગ્યાએ ઊભો રાખી દીધો. ત્યાં હાજર રહેલા બધા જ તેના પર બાળ હત્યા કરવા બદલ ફિટકાર વરસાવતા હતા. 

તેને જોઇને ભીમ પણ ખૂબ જ ગુસ્સે ભરાયો અને દાંત કચકચાવતાં ભીમે ક્રોધમાંને ક્રોધમાં કહ્યું, 

"આ બાળ હત્યારાને હમણાને હમણાં મારી નાખવો જોઇએ. એક ક્ષણવાર પણ તેને જીવતો રહેવા દેવો જોઇએ નહીં, કારણ કે તેણે હવે તેને જીવતા રહેવાનો અધિકાર ખોઇ નાખ્યો છે." 

આ સમયે દ્રૌપદીજીએ ધીરજ ધારણ કરી અને મોક્ષના પાંચ પુત્રોના મૃત શરીર પાસે બેઠી હતી. ત્યારે પોતાના પુત્રોનો હત્યારો સામે કેદ થયેલો ઊભો હતો. 
+++ +++
તેની નજર નીચી હતી તેને જોઇ અને તેના ઉપર દયા ખાતા ખાતા દ્રૌપદીજી કહે છે, 

"અરે ! તમે સૌએ સાથે મળી અને આ શું કર્યું ? 

તમને જે ગુરૂએ અન્ન, શસ્ત્રો અને શાસ્ત્રોનું જ્ઞાન આપ્યું તે ગુરૂના પુત્રને આજે તમે કેદ કર્યો. 

મહેરબાની કરીને તમે અને જલદી છોડી મૂકો. 

તેનો તો ઠીક પણ તેની માતાનો તમે વિચાર કરો. 
+++ +++
પુત્રના મૃત્યુથી જે શોક ઉત્પન્ન થાય છે તે શોક કેવો હોય તે મેં અનુભવ્યો છે અને અત્યારે તે અનુભવમાંથી જે હું પસાર થઇ રહી છું. 

માટે તેમની માતા કૃપીદેવી એ તમારા અને મારા માટે અત્યંત પૂજનીય છે. 

તેમને પણ મારી જેમ શોક ઉત્પન્ન ન થાય અને રડવું ના પડે તે માટે તત્કાલ છોડી મૂકો."
+++ +++
આમ, દ્રૌપદીજીની સહનશીલતા અને ક્ષમાશીલતા જોઇ અને ત્યાં હાજર રહેલ સૌ કોઇ દંગ રહી ગયા. 

ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાને માથે ચડાવી અને અશ્વસ્થાના મસ્તકનો મણી ઝૂંટવી લઈ અને ત્યાંથી જવા દીધો. 

આવી મહાન આર્યનારીને આજે પણ જગત તેની આ મહાનતા માટે યાદ કરે છે.
+++ +++
:: ભજન ::

આજનો લ્હાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે,

ફૂલની ગાદીને ફૂલના તકિયા,

ફૂલના બીદડા બિછાવીએ રે...કાલ...

સોનાના સોંગઠાને રેશમની ચોપાટ,

હિરલાના પાસા ડેલાવીએ રે...કાલ...

સોનાનું પારણું ને રેશમની દોરી,

હરખે શ્રીનાથજીને હલાવીએ રે...કાલ...

વાણીના મેહુલાને આનંદની હેલી,

સુખને સરવડે ભીંજાવીએ રે...કાલ...

"વલ્લભ"ના સ્વામી પ્રભુ રસિક શિરોમણી,

વલી વલી મુખડા નિહાળીએ રે...કાલ...
+++ +++

નિષ્કામ ભક્તિનું ફળ :


એક વખત અર્જુનને લઇ ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વીલોક પર ફરવા નિકળ્યા હતા. 


ફરતા ફરતા તેઓ એક જંગલમાંથી પસાર થઇ રહ્યા હતા. 


ત્યાં રસ્તામાં એક ગાયને જોઇ. એ ગાય પીડાતી હતી અને વિચિત્ર અવાજ કરી રહી હતી. 

ત્યાં અર્જુનનું મન આ દ્રશ્ય જોઈ અને ખીન્ન થઇ ગયું તેણે ભગવાન શ્રી કૃષ્ણને વિનંતી કરી, 

"હે પ્રભુ, આ કોઇ રોગથી પીડાઇ રહેલ ગાયને મુક્તિ આપો. તમે આ ગાય ઉપર દયા કરો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, "
+++ +++
પૂર્વ જન્મમાં તેણે જે કર્મો કરેલા છે, 

તેના ફળ તે ભોગવી રહી છે. તેમ છતાં જો તને દયા આવતી હોય તો તું એક કામ કર. 

"તે કોઈ મારું તપ કર્યું હોય તો તેનું ફળ તું આ ગાયને સંકલ્પ કરીને આપ તો તે ગાય જરૂર મુક્તિને પામશે."

આમ, કહેવા પાછળનો ભગવાન શ્રી કૃષ્ણનો આશ્રય અર્જુન સમજી ન શક્યો. 

અર્જુનને મનમાં અભિમાન હતું કે, મારા જેવા જપ-તપ તો કોઇએ નથી કર્યા. 

તેથી ભગવાન શ્રી કૃષ્ણ તેનું અભીમાન ઉતારવા માંગતા હતા. તેથી અર્જુને સંકલ્પ કર્યો કે, 
+++ +++
" જે જપ - તપ મેં કર્યા છે તેનું ફળ આ ગાયને અર્પણ કરું છું." 

પણ તેના અભિમાનને કારણે ગાયની અવસ્થામાં કંઈ જ ફેર ન પડ્યો એટલે અર્જુન મુંઝાઈ ગયો. 

પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તું મારી સાથે ચાલ તારી ઇચ્છા આજે આપણે પૂર્ણ કરશું.

આમ કહી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સાથે લઇ અને પાસેના એક ગામમાં ગયા. 

ત્યાં એક ઘર પાસે ઊભા રહ્યા. 

તે ઘરમાં એક મોટી ઉંમરના ડોશીમાં રહેતા હતા. 

તેની નજર ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન પર પડી તેથી તેને લાગ્યું કે, કોઇ યાચક આવ્યા લાગે છે. 
+++ +++
તેથી તેને આપવા માટે ઘરમાંથી કશુક લઇને ડોશીમાં બહાર આવ્યા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, 

"અમને ભીક્ષામાં કોઇ વસ્તુ નથી જોઇતી પરંતુ જુદા જ પ્રકારની ભીક્ષા અમને જોઇએ છે. 

તમે આપશો ?" 

ડોશીમાં કહે છે, 

"તમને જે જોઇતું હોય તે આપવા માટે હું તૈયાર જ છું. જે વસ્તુ મારી પાસે હશે તે આપવા હું તૈયાર છું."
+++ +++
જુઓ, પાસેના જંગલ વિસ્તારમાં એક બિમાર ગાય પડી છે. 

તેને મુક્તિ મળે તે માટે તમે તમારા પુણ્યમાંથી ફળ આપો 

તો તે ગાયની મુક્તિ થઇ જાય અને તેને લીધે પીડામાંથી તેને મુક્તિ મળે.  

ડોશીમાં કહે છે, 

"બીજું તો મેં શું તપ કર્યું હોય ? 

પરંતુ હું સતત ભગવાનનું નામસ્મરણ કરતી રહું છું અને આજ દિવસ સુધી મેં સતત પુરુષોત્તમ માસ નીતિ નિયમ પૂર્વક કર્યા છે. 

આમ છતાં પણ મારાથી એ વ્રતમાં ભૂલ ચૂક રહી ગઈ હોય છતાં મારું કંઈ પુણ્ય હોય તો તે ગાયને મુક્તિ અપાવવા મદદરૂપ થાય તો તેને તે ફળ આપવા હું તૈયાર છું." 
+++ +++
પછી ભગવાન શ્રી કૃષ્ણ, અર્જુન અને તે ડોશીમાં એ ત્રણેય ગયા સીધા ત્યાં જ્યાં ગાય પીડાતી હતી. 

પછી જમણા હાથમાં પાણી લીધું અને સંકલ્પ કર્યું, 

મેં આજ દિવસ સુધી અધિકમાસનું વ્રત નિષ્ઠા અને શ્રધ્ધા પૂર્વક કર્યું હોય અને તેનું જો મને કંઇ ફળ પ્રાપ્ત થયું હોય તો તે પુણ્ય ફળમાંથી ફળ અર્પણ કરવાથી આ ગાયને મુક્તિ મળે તો તે માટે હું મારા પુણ્યનું ફળ આપવા અંતઃકરણ પૂર્વક સંકલ્પ કરું છું.
+++ +++
આ સંકલ્પ ચાલી રહ્યો હતો ત્યારે પણ અર્જુન વિચાર કરી રહ્યો હતો કે, મારી ભક્તિ પાસે આ ડોશીમાની ભક્તિ શું વિસાત માં...? 

પરંતુ ડોશીમાં આ સંકલ્પ પૂર્ણ કર્યો અને ગાય તો સદેહે સ્વર્ગના માર્ગે ઉપડી ગઈ. 

આ દ્રશ્ય જોઇને આખરે અર્જુનને રહસ્ય સમજાયું. 

તેનું અભિમાન ઉતરી ગયું અને તરત જ પોતાની ભૂલ સમજાતા તે પ્રભુના ચરણોમાં દંડવત પ્રણામ કરી અને કહ્યું, 
+++ +++
"હું સમજી ગયો છું કે, તમે મારું અભિમાન ઉતરવા માટે જ આ લીલા કરી હતી." 

ત્યારે પોતાના પરમ ભક્તોમાના એક એવા અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણએ ઊભો કરી અને પોતાની છાતી સરસો ચાપી તેના વાસામાં વાત્સલ્ય ભર્યો હાથ ફેરવ્યો અને કહ્યું, 

" હે પાર્થ, મને મારો ભક્ત અભિમાન કરે તે જરાય ન ગમે. માટે હું મારા ભક્તોનું સૌ પ્રથમતો અભિમાન ઉતારું છું પછી જ મારું શરણ આપું છું."

વળી, જે ભક્ત મારી ભક્તિ કરી તે ભક્તિનું અભિમાન કરે તેની ભક્તિ પણ નિષ્ફળ 

જાય છે. પછી ભગવાને અને અર્જુને પોતાના અસલી સ્વરૂપે પ્રગટ કરી અને ડોશીમાને દર્શન આપ્યા અને તે ડોશીમાને ગૌલોકમાં પ્રવેશ આપ્યો.
+++ +++
:: ભજન ::

શ્રીકૃષ્ણ શરણં મમ એ મંત્ર સદાયે તું જપતો જા.

આવ્યો છે તો આ સંસારે સફળ જન્મ તું કરતો જા.

મન વાણી કાયા વશ રાખી (૨)

મમતાનો બોજો દૂરનાખી

ધન દીધું જો ધણીએ તુજને,

પેટ ભૂખ્યાના ભરભરતો જા. આવ્યો છે તો...

આ જગતમાં તું મહાન કહાવે (૨)

આશા કરી કોઇ આંગણે આવે,

દીન દુઃખીયાની વાતો તારા

કર્ણપટે તું ધરતો જા. આવ્યો છે તો...

હું પદની ગ્રંથીને છેદી (૨)

માયાના ઘેરા ગઢ ભેદી ,

પ્રકાશમય શ્રી પ્રભુના પંથે,

હળવે હળવે તું સરતો જા. આવ્યો છે તો...

" ગોવિંદ " ગુરૂના શરણ ગ્રહીલે (૨)

દુ : ખ પડે તો દુઃખ સહી લે,

માન સાગરના મોંઘા મોતી.

હિંસ બનીને ચરતો જા. આવ્યો છે તો...

हर हर महादेव जय मां अंबे मां !!!!! शुभमस्तु !!! 
+++ +++


+++ +++